- This event has passed.
જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં ૮૦ સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

જીવન જીયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી
માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ
અમરોલી ખાતે તા.૧૫-૦૮-૨૦૨૬ નાં રોજ ૮૦ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે
શ્રી યશભાઈ ગોપલાણી (મેમ્બેર, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ
(મેમ્બેર,ઈ.સી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), ૬ ગુજરાત ગલ્સ બટાલિયનનાં હવાલદાર કુલવિન્ડર સિંહ તેમજ જીવન
જ્યોત ટ્રસ્ટ માનદમંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી અનુજભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી ક્રાંતિભાઈ શાહ, કમિટી મેમ્બર સંપદ શાહ હાજર
રહ્યા હતા. કોલેજની એન.સી.સી.ની વિદ્યાર્થીનીઓએ પરેડ કરી મહેમાનશ્રીને ધ્વજ વંદન માટે આમંત્રીત કર્યા હતા. શ્રી યશભાઈ
ગોપલાણી અને શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ દ્વારા ધ્વજરોહાણ કર્યું હતું. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોશ્રીઓ અને અશ્વિનભાઈ
પટેલે પ્રસંગોચીત ઉદબોધન આપ્યું હતું. સ્વતંત્રતાપર્વમાં કોલેજના કો-ઓર્ડીનેટર, શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ
હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ ટીચર ડૉ.પ્રદીપકુમાર લેન્કા
અને એન.સી.સી. સીટીઓ અનિલા પિલ્લાઈ તેમજ સમગ્ર સ્ટાફગણના સહકારથી સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી.