- This event has passed.
Prize Distribution 02-01-2025
” શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ અમરોલી સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં યોજાયો”
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી બી.સી.એ., બી.બી.એ., બી.કોમ.માં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં તા. ૦૨-૦૧-૨૦૨૫નાં રોજ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી તરીકે શ્રી સુરેશ કળથીયા (Founder & CEO. Ebizzinfotech, Italish, EBS Media & Wellheal), શ્રી સવજીભાઈ બી. પટેલ (Educationalist, Thinker & Social Leader), તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી ગિરધરગોપાલ મુન્દ્રાજી, સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઇનામ વિતરણ કાર્યક્રમને ઉપલક્ષીને શ્રી સુરેશ કલાથીયા તેમજ શ્રી સવજીભાઈ બી. પટેલએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમજ ૮૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન બી.કોમ.,બી.સી.એ., બી.બી.એ.નાં કૉ-ઓર્ડીનેટર તથા કોલેજના અધ્યાપક ગણ વહીવટી સ્ટાફ હાજર રહી કાર્ય કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ ડૉ. તન્વીબેન ભાલાળા, ડૉ. વિશાલ પંડ્યા અને ડૉ. વિશ્વનાથ બોરસે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ ડૉ. વિશાલ પંડ્યાએ કરી હતી. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો હતો.