સુરતની સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહ યોજાયો અમરોલી, સુરત: તારીખ ૭મી ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે અમરોલી સ્થિત સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે પ્રથમ અને બીજા વર્ષના બી.બી.એ., બી.કોમ.(ઇએમ અને જીએમ), બી.સી.એ.(રેગ્યુલર અને વિન્ટર) અને બી.એસસી. (ડી.એસએ.)ના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી), અને વી. એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજ) અને સૂટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ એન્ડ સાયન્સ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી શ્રી પરેશ લખાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે પ્રિન્સિપલ - રાઈઝન મોર્ડન સ્કૂલના શ્રી ભાવેશ ઘેલાણીએ હાજરી આપી હતી. જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ વી. શાહ અને કોલેજના પ્રિન્સિપલ ડૉ. મુકેશ આર. ગોયાણી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ ઇનામ વિતરણ સમારોહમાં પ્રથમ અને બીજા વર્ષના આશરે ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને અન્ય સિદ્ધિઓ બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમની સફળતાઓ માટે તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ આ પહેલને બિરદાવી હતી.
" અમરોલી (બી.બી.એ., બી.સી.એ., બી.કોમ., બી.એસસી. ડેટા સાયન્સ) સેલ્ફ ફાયનાન્સ કોલેજનાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો" જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એફ.વાય., એસ.વાય. બી.સી.એ., બી.બી.એ., બી.કોમ., બી.સી.એ. વિન્ટર, બીએસ.સી. ડેટા સાઈન્સમાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર તેમજ યુનિવર્સિટી ક્ક્ષાએ વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં તા. ૦૭-૦૨-૨૦૨૫નાં રોજ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, સ્વાગત નૃત્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી તરીકે શ્રી પરેશભાઈ લાખાણી (ટ્રસ્ટીશ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કુલ) અને શ્રી ભાવેશભાઈ ઘેલાણી (Principal – Risen Modern School) (Educationalist, Thinker & Social Leader), તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી ભાનુભાઈ શાહ, સેક્રેટરીશ્રી અશ્વિન પટેલ તેમજ છાપરાભાઠ્ઠા શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ પરમાર, અંજલીબેન જાની હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઇનામ વિતરણ કાર્યક્રમને ઉપલક્ષીને શ્રી પરેશભાઈ લાખાણી તેમજ શ્રી ભાવેશભાઈ ઘેલાનીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમજ ૧૩૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આચાર્યશ્રીનાં માર્ગદર્શન હેઠળ બી.કોમ.,બી.સી.એ., બી.બી.એ., બીએસ.સી. ડેટાનાં કૉ-ઓર્ડીનેટર તથા કોલેજના અધ્યાપકો અને વહીવટી સ્ટાફ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલા, પ્રા. રાકેશ પટેલ અને પ્રા. ટ્વીનકલ પંચાલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.
The B.B.A stream organized a picnic on 27th January 2025, which saw enthusiastic participation from 109 students and faculty. The scenic location offered a refreshing break with diverse activities. Attendees enjoyed boating, rafting, and thrilling zip lining across the river. The presence of tree house structures provided unique gathering spots. On the riverbank, groups socialized, dined, and enjoyed musical entertainment. Transportation was facilitated by a van, and catering arrangements were in place. The picnic fostered camaraderie and provided a memorable and enjoyable experience for all participants, effectively achieving its aim of promoting community outside the academic setting.