- This event has passed.
TEACHERS DAY
પ્રો. વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા પાંચમી સપ્ટેમ્બર ના રોજ ડૉ. રાધાકૃષ્ણ સર્વપલ્લી ની યાદ માં ભવ્ય ટીચર્સ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું . વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકનું કાર્યભાર સંભાળી પોતાની ઉત્કૃષ્ટ કાર્ય નિષ્ઠા બતાવી હતી. કોલેજના આચાર્ય ડૉ .મુકેશ ગોયાણીએ આ પ્રસંગ નિમિત્તે વિદ્યાર્થીઓને શબ્દામૃત થી પ્રભાવિત કર્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષક દિવસ ભાવિ પેઢીઓના મનને આકાર આપતા શિક્ષકો માટે આપણો આભાર અને પ્રશંસા વ્યક્ત કરવાની તક છે. અમને આશા છે કે આ ઉજવણી અમારા શિક્ષકોને તેમનું ઉત્કૃષ્ટ કાર્ય ચાલુ રાખવા માટે પ્રેરણા આપશે. કાર્યક્રમ નું આયોજન બીબીએ કોર્ડીનેટર ડૉ. સ્વાતિ મહેતા અને ડૉ .નિલેશ પટેલના માર્ગદર્શન હેઠળ કલ્ચરલ કમિટીના સદસ્ય પ્રો. રાકેશ પટેલ અને પ્રો.વિદીતા કાછેલા એ સફળતાપૂર્વક કર્યું હતું.