Latest Past Events

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજ્ન થયું

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૨૫-૦૮-૨૦૨૬ ના રોજ “રાખડી મેકિંગ” સ્પર્ધાનું આયોજ્ન કરવામાં હતું. આ સ્પર્ધામાં જજ તરીકે પટેલ જીજ્ઞાશા હેમાંગ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ૨૧ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. રાખડી મેકિંગ પ્રથમક્રમે ટી.વાય.બી.સી.એ. વિદ્યાર્થીની ચૌહાણ ધ્રુવી ધિરેનભાઈ, દ્વિતીયક્રમે એફ.વાય.બી.સી.એ.(એઆઇ)ની વિદ્યાર્થીની ચૌધરી શ્રેયા રમેશભાઈ અને તૃતીયક્રમે ટી.વાય.બી.સી.એ. વિદ્યાર્થીની ગોયાણી ઋત્વી નરેશભાઈ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

અમરોલી સ્વનિર્ભર કોલેજ કવિ નર્મદ જયંતી નિમિત્તે બિઝનેસ ક્વિઝ QUINTELLECT સ્પર્ધા યોજાઈ.

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઑફ કોમર્સ, વી. એલ. શાહ કોલેજ ઑફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે તા.૨૪-૦૮- ૨૦૨૬ ના રોજ યુગપ્રવર્તક કવિશ્રી નર્મદની જન્મજયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં એક ભવ્ય આંતર-કોલેજ બિઝનેસ ક્વિઝ સ્પર્ધા — QUINTELLECT નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન વિવિધ કોલેજોમાંથી BBA, B.Com, BCA, B.Sc (ડેટા સાયન્સ), M.Sc (IT) અને M.Com જેવા વિવિધ પ્રવાહના કુલ ૧૨૦ વિદ્યાર્થીઓ (૪૦ ટીમો)એ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન જનરલ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તેમજ બિઝનેસ કરંટ અફેર્સ આધારિત રોમાંચક રાઉન્ડ્સ યોજાયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ બૌદ્ધિક ક્ષમતા અને વ્યવસાયિક સૂઝબૂઝનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાની વિજેતા ટીમને પ્રથમ ક્રમાંક: ₹૩,૦૦૦ રોકડ પુરસ્કાર, ​દ્વિતીય ક્રમાંક: ₹૨,૦૦૦ રોકડ પુરસ્કાર, ​તૃતીય ક્રમાંક: ₹૧,૦૦૦ રોકડ પુરસ્કાર તેમજ ક્રમાંક ૪ થી ૮ ની ટીમોને વિશેષ પ્રોત્સાહક રોકડ પુરસ્કાર (Consolation Cash Prizes) તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. મુકેશ આર. ગોયાણીના કુશળ માર્ગદર્શન હેઠળ અને BBA કોઓર્ડિનેટર્સ ડૉ. સ્વાતિ મહેતા તેમજ ડૉ. નિલેશ પટેલના નેતૃત્વમાં આયોજક સમિતિના સભ્યો ડૉ. સોયેબ મેમણ, શ્રી આગમ શેઠ, સુશ્રી શ્વેતા રાજપૂત, સુશ્રી ફેની ગાંધી, સુશ્રી ટિનાઝ પુઠાવાલા તેમજ સમગ્ર BBA staff અને સ્વયંસેવક ટીમે દ્વારા કરવામાં આવ્યું હતું.

ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૫-૦૮-૨૦૨૬નાં રોજ ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી યશભાઈ ગોપલાણી (મેમ્બેર, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ (મેમ્બેર,ઈ.સી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી વિનોદભાઈ ગજેરા (માજી સિન્ડીકેટ મેમ્બર) તેમજ જીવન જ્યોત ટ્રસ્ટનાં ટ્રસ્ટી શ્રી ભરત શાહ, માનદ્ મંત્રીશ્રી અશ્વિન પટેલ અને શ્રી અનુજ્ભાઈ શાહ ટ્રસ્ટી શ્રી ક્રાંતિભાઈ શાહ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઈનામ વિતરણ બી.બી.એ.,બી.કોમ.,બી.સી.એ.,બી.એસ.સી.(ડેટા સાઈન્સ), એમએસ.સી.આઈ.ટી.,બી.સી.એ.(એઆઈ) માં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર ૩૬૮ વિદ્યાર્થીઓ તેમજ વિવિધ આંતર કોલેજ સ્પર્ધામાં વિજેતાઓને ટ્રોફી/પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજનાં તમામ કૉ-ઓર્ડીનેટરશ્રીઓ તથા કોલેજના અધ્યાપકો અને વહીવટી સ્ટાફ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ ઇનામ વિતરણ કમિટી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.