All Day

“જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં ૮૫ બોટલ રક્ત એકત્ર કરાયું.”

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી, ગોલ્ડી સોલાર ફાઉન્ડેશન, સંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર, સુરત રક્તદાન કેન્દ્ર અને સંશોધન કેન્દ્ર, અમરોલી મેડીકલ સર્કલ, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત, ધ વરાછા કોઓપરેટીવ બેંક લીમીટેડ, એક્ઝામશાળા, લાઈન્સ ક્લબ ઓફ સુરત, અમરોલી પોલીસ સ્ટેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કાયમી વિદ્યાર્થી મંડળ અમરોલી (BBA, BCA, B.COM), રાષ્ટ્રીય સેવા યોજના (NSS), રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૨૨-૦૭-૨૦૨૬નાં “મહારક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાન તરીકે ડૉ. સતીષ કત્રોરોડીયા (સંતોષ વુમન કેર હોસ્પિટલ), ડૉ. ભવ્યેશ સોલંકી, ડૉ. કેતન કોરડીયા, ડૉ. વિનય પંડ્યા, ડૉ. વિપુલ પ્રજાપતિ, ડૉ. રાજન પટેલ (અમરોલી મેડીકલ સર્કલ), શ્રી. સનત પટેલ (એડવાઈઝ ઇન્ટરનેશનલ), શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા (ગોલ્ડી સોલર ફાઉન્ડેશન-ગોલ્ડી સોલાર), શ્રી. હરેન્દ્રસિંહ તોમર (એક્ઝામ શાળા), શ્રી મુકેશભાઈ દેસાઈ (બીજેપી સુરત શહેર ઉપાધ્યક્ષ), શ્રી જગદીશભાઈ બોદરા (લાઈન્સ ક્લબ ઓફ સુરત) રક્તદાન શિબિરમાં વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ સભ્યો રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરના અંતે કુલ ૮૫ જેટલી બોટલનું રક્તદાન મળ્યું હતું. આચાર્યશ્રીએ તમામ રક્તદાતાનો આભાર માન્યો હતો. જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ અને સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલે તમામ રક્તદાતાને શુભેચ્છા પાઠવેલ છે. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી અને કો – ઓર્ડીનેટર તેમજ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા, પ્રા. જયોતિકાબેન ટેલર તથા એન.એન.એસ.ના સ્વયંસેવકો તથા તમામ સ્ટાફના સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.