- This event has passed.
“જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં ૧૩૫ બોટલ રક્ત એકત્ર કરાયું.”

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ
ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ
સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી, ગોલ્ડી સોલાર ફાઉન્ડેશન,
સંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર, સુરત રક્તદાન કેન્દ્ર અને સંશોધન કેન્દ્ર, અમરોલી
મેડીકલ સર્કલ, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત, ધ વરાછા કોઓપરેટીવ બેંક
લીમીટેડ, એક્ઝામશાળા, લાયન્સ ક્લબ ઓફ સુરત, અમરોલી પોલીસ સ્ટેશન, સુરત મ્યુનિસિપલ
કોર્પોરેશન, કાયમી વિદ્યાર્થી મંડળ અમરોલી (BBA, BCA, B.COM), રાષ્ટ્રીય સેવા યોજના (NSS), રાષ્ટ્રીય
કેડેટ કોર્પ્સ (NCC) ની સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૦૫-૦૮-૨૦૨૬નાં “મહારક્તદાન શિબિર”
નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાન તરીકે ડૉ. પારુલબેન વડગામા, ડૉ.
સતીષ કત્રોરોડીયા (સંતોષ વુમન કેર હોસ્પિટલ), શ્રી યશભાઈ (ગોલ્ડી સોલર), શ્રી જગદીશભાઈ
બોદરા (લાયન્સ ક્લબ ઓફ સુરત), પ્રફુલ ચુડાસમા (યુ.પી.એલ.યુનીવર્સીટી), જીવન જ્યોત
ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ જે.ઝેડ.શાહ આર્ટસ અને કોમર્સ કોલેજનાં ઈ.ચા.આચાર્યશ્રી
ડૉ.દેસાઈ સેજલ હાજર રહી વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો. રક્તદાન શિબિરમાં આમંત્રિત
મહેમાનો, વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ સભ્યો રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરના અંતે કુલ
૧૩૫ બોટલનું રક્તદાન મળ્યું હતું. આચાર્યશ્રી તેમજ જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ભરતભાઈ
શાહ અને મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલે તમામ રક્તદાતાનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવેલ છે.
રક્તદાન શિબિરનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી અને કો –
ઓર્ડીનેટરશ્રીઓના માર્ગદર્શન મુજબ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તેમજ
પ્રા.ડૉ.જયોતિકા ટેલર અને એન.એન.એસ.ના સ્વયંસેવકો તથા તમામ સ્ટાફના સહકારથી સફળતા
પૂર્વક યોજી શકાયો હતો.