Latest Past Events

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સ્વનિર્ભર કોલેજની “હર ઘર તિરંગા યાત્રા” યોજાઈ

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ દ્વારા તા. ૧૩-૦૮-૨૦૨૬ નાં રોજ ૬ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી.ના સહયોગથી “હર ઘર તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. "હર ઘર તિરંગા યાત્રા - ૨૦૨૬"નું આયોજન ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત સાથે કરવામાં આવ્યું હતું. યાત્રામાં જીવન જ્યોત ટ્રસ્ટનાં માનદમંત્રી શ્રી અશ્વિન પટેલ તેમજ સ્ટાફ સભ્યો, ૨૧૭ વિદ્યાર્થીઓ તથા ૪૫ એન.સી.સી કેડેટ્સ, એન.એસ.એસ સ્વયંસેવકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ રેલી છાપરાભાઠ્ઠા કેમ્પસથી બે કિલોમીટરનાં વિસ્તારમાં વેપાર ક્ષેત્ર અને માર્કેટ વિસ્તારમાં લોકોમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરનો સંદેશ ફેલાવતા સફળતાપૂર્વક પૂર્ણ થઈ જેમાં અમરોલી પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરીને રેલીને ટેકો આપ્યો હતો. તેઓએ “तिरंगा हमारी शान है — भारत हमारी जान है”, “भारत माता की जय”, “वंदे मातरम्”, “આજે એક વૃક્ષ વાવો, આવતીકાલ બચાવો!”, “હરિયાળું ભારત, સ્વચ્છ ભારત!”, “ટીબી મુક્ત ભારત, સ્વસ્થ ભારત!” જેવા નારા લગાવ્યા હતા. રેલી યાત્રાનું આયોજન આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં મર્ગદર્શન હેઠળ એન.સી.સી ઓફિસર પ્રા. ડૉ. અનિલા પિલ્લાઈ, એન.એસ.એસ ઓફિસર પ્રા.ડૉ. પ્રદીપ લેન્કા અને પ્રા. જ્યોતિકા ટેલર સાથે પ્રા. ડૉ. રાગિની પ્રસાદ, પ્રા. શ્રી રાકેશ જસાણી અને પ્રા.કોમલ સોલંકી દ્વારા સફળતાથી પૂર્ણ કરવામાં આવ્યું.

“જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં ૧૩૫ બોટલ રક્ત એકત્ર કરાયું.”

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

  જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી, ગોલ્ડી સોલાર ફાઉન્ડેશન, સંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર, સુરત રક્તદાન કેન્દ્ર અને સંશોધન કેન્દ્ર, અમરોલી મેડીકલ સર્કલ, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત, ધ વરાછા કોઓપરેટીવ બેંક લીમીટેડ, એક્ઝામશાળા, લાયન્સ ક્લબ ઓફ સુરત, અમરોલી પોલીસ સ્ટેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કાયમી વિદ્યાર્થી મંડળ અમરોલી (BBA, BCA, B.COM), રાષ્ટ્રીય સેવા યોજના (NSS), રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) ની સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૦૫-૦૮-૨૦૨૬નાં “મહારક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાન તરીકે ડૉ. પારુલબેન વડગામા, ડૉ. સતીષ કત્રોરોડીયા (સંતોષ વુમન કેર હોસ્પિટલ), શ્રી યશભાઈ (ગોલ્ડી સોલર), શ્રી જગદીશભાઈ બોદરા (લાયન્સ ક્લબ ઓફ સુરત), પ્રફુલ ચુડાસમા (યુ.પી.એલ.યુનીવર્સીટી), જીવન જ્યોત ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ જે.ઝેડ.શાહ આર્ટસ અને કોમર્સ કોલેજનાં ઈ.ચા.આચાર્યશ્રી ડૉ.દેસાઈ સેજલ હાજર રહી વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો. રક્તદાન શિબિરમાં આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ સભ્યો રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરના અંતે કુલ ૧૩૫ બોટલનું રક્તદાન મળ્યું હતું. આચાર્યશ્રી તેમજ જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ભરતભાઈ શાહ અને મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલે તમામ રક્તદાતાનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવેલ છે. રક્તદાન શિબિરનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી અને કો – ઓર્ડીનેટરશ્રીઓના માર્ગદર્શન મુજબ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તેમજ પ્રા.ડૉ.જયોતિકા ટેલર અને એન.એન.એસ.ના સ્વયંસેવકો તથા તમામ સ્ટાફના સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.

“જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં ૮૫ બોટલ રક્ત એકત્ર કરાયું.”

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી, ગોલ્ડી સોલાર ફાઉન્ડેશન, સંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર, સુરત રક્તદાન કેન્દ્ર અને સંશોધન કેન્દ્ર, અમરોલી મેડીકલ સર્કલ, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત, ધ વરાછા કોઓપરેટીવ બેંક લીમીટેડ, એક્ઝામશાળા, લાઈન્સ ક્લબ ઓફ સુરત, અમરોલી પોલીસ સ્ટેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કાયમી વિદ્યાર્થી મંડળ અમરોલી (BBA, BCA, B.COM), રાષ્ટ્રીય સેવા યોજના (NSS), રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૨૨-૦૭-૨૦૨૬નાં “મહારક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાન તરીકે ડૉ. સતીષ કત્રોરોડીયા (સંતોષ વુમન કેર હોસ્પિટલ), ડૉ. ભવ્યેશ સોલંકી, ડૉ. કેતન કોરડીયા, ડૉ. વિનય પંડ્યા, ડૉ. વિપુલ પ્રજાપતિ, ડૉ. રાજન પટેલ (અમરોલી મેડીકલ સર્કલ), શ્રી. સનત પટેલ (એડવાઈઝ ઇન્ટરનેશનલ), શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા (ગોલ્ડી સોલર ફાઉન્ડેશન-ગોલ્ડી સોલાર), શ્રી. હરેન્દ્રસિંહ તોમર (એક્ઝામ શાળા), શ્રી મુકેશભાઈ દેસાઈ (બીજેપી સુરત શહેર ઉપાધ્યક્ષ), શ્રી જગદીશભાઈ બોદરા (લાઈન્સ ક્લબ ઓફ સુરત) રક્તદાન શિબિરમાં વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ સભ્યો રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરના અંતે કુલ ૮૫ જેટલી બોટલનું રક્તદાન મળ્યું હતું. આચાર્યશ્રીએ તમામ રક્તદાતાનો આભાર માન્યો હતો. જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ અને સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલે તમામ રક્તદાતાને શુભેચ્છા પાઠવેલ છે. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી અને કો – ઓર્ડીનેટર તેમજ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા, પ્રા. જયોતિકાબેન ટેલર તથા એન.એન.એસ.ના સ્વયંસેવકો તથા તમામ સ્ટાફના સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.