જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી–૮ આયોજન થયું.
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૨૦-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૮ નું આયોજન કરાયું હતું. અતિથિ વિશેષ તરીકે ધબકારનાં તંત્રીશ્રી નરેશભાઈ વરિયા અને પત્રકાર નિલમબેન કંથારીયા હાજર રહ્યાં હતા. જેમાં વિદ્યાર્થીઓ (૧) હેની વેકરીયા–“પાટણની પ્રભુતા” (૨) આંબલીયા હાર્દી-"સફળતા" (૩) કૃણાલ લકકડ-"અગનપંખ" (૪) મયુર જાની-"The old man and the sea" (૫) બાબરીયા પુષ્કર-"The Phycology of money" તેમજ અધ્યાપક પ્રા. દમયંતી પટેલ-"મનની વાત પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. ડૉ. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.