જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૭ આયોજન થયું.

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૯-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૭ નું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) સંતોષી ડાકુઆ - “The Courage to be Disliked” (૨) યશ સોજિત્રા - "શ્રીમદ ભગવદ્ ગીતા" તેમજ અધ્યાપક “Ikigai” – પ્રા. રાહુલ પાટીલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. ડૉ. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં “હીરાબાનો ખમ્મકાર” ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો.

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૯-૦૮-૨૦૨૬ નાં રોજ હીરાબાનો ખમ્મકાર અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હીરાબા ખમ્મકારનાં ફાઉન્ડેશનનાં ફાઉન્ડર શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રીમતી જયોતિકાબેન ગુપ્તા તેમજ પૂર્વ નગરસેવક શ્રીમતી સોનલબેન દેસાઈ, શ્રીમતી નિરાલીબેન પટેલ અને જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ભરતભાઈ શાહ, માનદ મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહીયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શ્રી પિયુષભાઈ દેસાઈએ પોતાના વિચારો રજુ કરી જણાવ્યું હતું કે માતા-પિતા વિહોણા બાળકો શિક્ષણ વંચિત ન રહે તે હેતુથી હીરાબા ખમ્મકાર ફાઉન્ડરને આ કાર્ય હાથ ધર્યું હતું. માતા-પિતા વિહોણા કોલેજના કુલ ૫૧ વિદ્યાર્થી બહેનો અને ભાઈઓને “હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન તરફથી સ્કોલરશીપનાં ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.