PRIZE DISTRIBUTION
સુરતની સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહ યોજાયો અમરોલી, સુરત: તારીખ ૭મી ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે અમરોલી સ્થિત સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે પ્રથમ અને બીજા વર્ષના બી.બી.એ., બી.કોમ.(ઇએમ અને જીએમ), બી.સી.એ.(રેગ્યુલર અને વિન્ટર) અને બી.એસસી. (ડી.એસએ.)ના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી), અને વી. એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજ) અને સૂટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ એન્ડ સાયન્સ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી શ્રી પરેશ લખાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે પ્રિન્સિપલ - રાઈઝન મોર્ડન સ્કૂલના શ્રી ભાવેશ ઘેલાણીએ હાજરી આપી હતી. જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ વી. શાહ અને કોલેજના પ્રિન્સિપલ ડૉ. મુકેશ આર. ગોયાણી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ ઇનામ વિતરણ સમારોહમાં પ્રથમ અને બીજા વર્ષના આશરે ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને અન્ય સિદ્ધિઓ બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમની સફળતાઓ માટે તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ આ પહેલને બિરદાવી હતી.