- This event has passed.
DATA ANALYSIS SEMINAR
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી. એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૬ ફેબ્રુઆરીનાં રોજ ડેટા એનાલિસીસ માટેનો સેમિનાર યોજાયો હતો. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સંશોધનરૂપી (ડેટા એનાલિસીસ) જ્ઞાન વધારવાનું હતો. સેમિનારના મુખ્ય વક્તા તરીકે ડો. ભાવેશ વાનપરીયા (ડીપાર્ટમેન્ટ ઓફ એચ.આર.ડી., નર્મદ યુનિવર્સીટી) ઉપસ્થિત રહ્યા હતા. ડો.ભાવેશ વાનપરીયાએ સંશોધનરૂપી(ડેટા એનાલિસીસ) જ્ઞાન અને મેનેજમેન્ટ સેક્ટરમાં તેમનું મહત્વ પણ સમજાવ્યું હતું. સેમિનારમાં બી.બી.એ.નાં કુલ ૧૦૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સેમીનારમાં ભાગ લઇ મેનેજમેન્ટ રિસર્ચ સોફટવેરનું જ્ઞાન મેળવ્યું હતું. સેમિનારનું આયોજન કોલેજનાં આચાર્ય ડો. મૂકેશ ગોયાણીના નેતૃત્વમાં બી.બી.એ. કો- ઓર્ડીનેટર પ્રા. ડો. સ્વાતિ મહેતા, પ્રા. ડો.નિલેશ પટેલ તેમજ સોયબ જિંદાની દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.