Latest Past Events

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં રક્ષાબંધનની ઉજવણી થઈ.

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીનાં એન.સી.સી. અને એન.એસ.એસ. વિદ્યાર્થીનીઓ દ્વારા તા. ૨૭-૦૮-૨૦૨૬નાં રોજ અમરોલી અને કોસાડ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. પોલિસ ઇન્સ્પેકટરસર શ્રી રાજદીપ સિંહ, પી.એસ.આઈ.આર.આર. જોગરાણા અને એ.એસ.આઈ. દીપક મોરે અને તેમની ટીમની અચૂક હાજર રહી હતી. એન.સી.સી. કેડેટ્સ અને એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના રક્ષણ માટે તેમને આદરપૂર્વક રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓના ચહેરા પર પણ આત્મીયતા અને આનંદની લાગણી જોવા મળી હતી. આ હૃદયસ્પર્શી પહેલથી એન.સી.સી. કેડેટ્સમાં પોલીસ કર્મચારીઓ પ્રત્યે આદર અને ગૌરવની ભાવના વધુ પ્રબળ બની હતી. સાથે જ રક્ષાબંધનનો આ પ્રસંગ પોલીસ વિભાગ વચ્ચે સ્નેહ, સહકાર અને સૌહાર્દનો સુંદર સેતુ બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.સી.સી. ઓફિસર સી.ટી.ઓ. ડૉ. અનિલા પિલ્લાઈ અને એન.એસ.એસ ઓફિસર પ્રા. જયોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં ૮૦ સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જીયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે તા.૧૫-૦૮-૨૦૨૬ નાં રોજ ૮૦ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી યશભાઈ ગોપલાણી (મેમ્બેર, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ (મેમ્બેર,ઈ.સી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), ૬ ગુજરાત ગલ્સ બટાલિયનનાં હવાલદાર કુલવિન્ડર સિંહ તેમજ જીવન જ્યોત ટ્રસ્ટ માનદમંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી અનુજભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી ક્રાંતિભાઈ શાહ, કમિટી મેમ્બર સંપદ શાહ હાજર રહ્યા હતા. કોલેજની એન.સી.સી.ની વિદ્યાર્થીનીઓએ પરેડ કરી મહેમાનશ્રીને ધ્વજ વંદન માટે આમંત્રીત કર્યા હતા. શ્રી યશભાઈ ગોપલાણી અને શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ દ્વારા ધ્વજરોહાણ કર્યું હતું. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોશ્રીઓ અને અશ્વિનભાઈ પટેલે પ્રસંગોચીત ઉદબોધન આપ્યું હતું. સ્વતંત્રતાપર્વમાં કોલેજના કો-ઓર્ડીનેટર, શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ ટીચર ડૉ.પ્રદીપકુમાર લેન્કા અને એન.સી.સી. સીટીઓ અનિલા પિલ્લાઈ તેમજ સમગ્ર સ્ટાફગણના સહકારથી સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી.

“હર ઘર તિરંગા – નિબંધ” લેખનનું આયોજન થયું.

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

“હર ઘર તિરંગા – નિબંધ” લેખનનું આયોજન થયું. જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ ખાતે તા.૧૦-૦૮-૨૦૨૬ નાં રોજ ૬ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સીના સૂચનાઓ હેઠળ “હર ઘર તિરંગા” વિષયક નિબંધ લેખનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય એનસીસી કેડેટ્સમાં દેશભક્તિ, રાષ્ટ્રીય ગૌરવ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરને પ્રોત્સાહન આપવાનો તેમજ લેખન અને સર્જનાત્મક અભિવ્યક્તિને વધારવાની તક પૂરી પાડવાનો હતો. આ સ્પર્ધામાં ૪૫ કેડેટ્સે સક્રિયપણે ભાગ લીધો હતો. જેમાં દરેક એન.સી.સી. કેડેટ્સે "હર ઘર તિરંગા" ઈવેન્ટમાં સ્વતંત્રતામાં મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિકા અને સ્વતંત્રતાના ગુમનામ નાયકો પર નિબંધો લખ્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એન.સી.સી ઓફિસર ડૉ. અનિલા પિલ્લાઈ અને જે.યુ.ઓ ખુશી ડાભી, સી.પી.એલ ખુશી ટીંબડિયા અને કેડેટ નેન્સી જેઠવાના સહયોગથી કાર્યક્રમનું આયોજન થયું.