Latest Past Events

ભારતીય ન્યાયતંત્રના બદલાયેલા ૩ નવા કાયદા વિષે જાગૃતિ

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ-ફાઈનાન્સ કોલેજ તથા અમરોલી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 1-7 -2024 ના રોજ ભારતીય ન્યાય તંત્રના બદલાયેલા નવા ત્રણ કાયદા વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને કયા જૂના કાયદાઓ હતા અને તેના બદલે કયા નવા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે ઘેરથી લાગુ થશે અને એ કાયદા વિશે વિસ્તૃત માહિતી અમરોલી પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.કે પટેલ સાહેબ અને તેમના સ્ટાફ સભ્યો દ્વારા આપવામાં આવી.  તદુપરાંત આ ત્રણ કાયદા વિશે કઈ એપ્લિકેશન કાર્યરત છે તેની માહિતી પણ આપવામાં આવી જેમાં NCRB એપ્લિકેશન જેમાં કાયદાનું વિવરણ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે અને K2 Help લો એપ્લિકેશન જે અંગ્રેજી અને ગુજરાતીમાં ઉપલબ્ધ છે તેની માહિતી આપવામાં આવી. વધુમાં મહિલાઓ માટે She Team- Empowering Women Ensuring Safety કાર્યરત છે તેની જાણકારી આપવામાં આવી અને હેલ્પલાઇન નંબર 181 ની માહિતી આપવામાં આવી. સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા અને પ્રા. જયોતિકા ટેલર દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

International Yoga Day celebration

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ-ફાઈનાન્સ કોલેજ દ્વારા ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં NSS સ્વયંસેવક ભાઈ તથા બેહનો, અધ્યાપક ગણ, બિન શૈક્ષણિક સ્ટાફ સભ્યોએ પ્રાણાયામ અને યોગ ધ્યાનમાં ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.

Blood Donation Camp in remembrance of shri Kantikaka

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તારીખ 17ના રોજ જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીના માજી પ્રમુખ અને ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ કાંતિલાલ જે. શાહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આમંત્રિત મહેમાન તરીકે ડો. વિનોદ પટેલ (આચાર્ય નવયુગ કોમર્સ કોલેજ), મેહુલભાઈ માલવિયા (વિદ્યા એજ્યુકેશન ટ્રસ્ટ), જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ ઉપ-પ્રમુખ ભાનુકુમાર શાહ માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, અનુજભાઈ શાહ, ટ્રસ્ટી ગૌરાંગ દેસાઈ, ડો. મહેન્દ્ર સોલંકી તથા સ્વર્ગસ્થ કાંતિલાલ શાહના પુત્ર સ્નેહલભાઈ તેમજ પુત્રવધુ રીતા બહેને હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો તેમજ કોલેજ અને શાળાના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વર્ગસ્થ કાંતિલાલ શાહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રક્તદાન શિબિરના અંતે કુલ 19 જેટલી રક્ત બોટલ એકત્ર કરાયું હતું. તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડો. મુકેશભાઈ ગોયાણી, બીબીએ કો-ઓર્ડીનેટર ડો. સ્વાતિ મહેતા અને ડો. નિલેશ, બીસીએ વિન્ટર કો-ઓર્ડીનેટર ડૉ. વિરલ પોલીસવાલા અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ કુમાર લેનકા અને એનએસએસ ના સ્વયંસેવકો તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્થાપના સહકારથી સફળતાપૂર્વક યોજાયો હતો.