આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો વિષય પર ઓરીએન્ટેશન યોજાયો ૦૮-૦૮-૨૦૨૬
આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો? વિષય પર ઓરીએન્ટેશન યોજાયો. જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૦૮-૦૮-૨૦૨૬ નાં રોજ એન.સી.સી.ની તેમજ કોલેજનાં વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો તે માટેનો ઓરીએન્ટેશન – ૨૦૨૬ સેમીનારનું આયોજન કરેલ હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી આત્મતત્વ દાસજી હાજર રહ્યા હતા. તેમણે અમને આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો તે અંગે માર્ગદર્શન આપ્યું અને મનની શાંતિ માટે 'મંત્ર ધ્યાન' કરવાનું પણ સૂચન કર્યું, જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં આત્મવિશ્વાસનું મહત્વ સમજવા અને આત્મ-શંકા અને ભયને દૂર કરવા માટેની તકનીકો શીખવી. આ કાર્યક્રમમાં કુલ એન.સી.સી.ની ૪૦ કેડેટ્સ તેમજ બી.કોમ. અને બી.સી.એના ૬૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડૉ.મુકેશ આર. ગોયાણી માર્ગદર્શન હેઠળ એન.સી.સી.ઓફિસર ડૉ.અનિલા પિલ્લાઈ, એન.એસ.એસ ઓફિસર પ્રા. જ્યોતિકા ટેલર, પ્રા. વિશાખા બારોટ અને પ્રા.ડૉ.સુનિતા યાદવ મેડમ તથા જેયુઓ ખુશી ડાભી, સીપીએલ ખુશી ટીંબડિયા અને કેડેટ ભૂમિ શુક્લાના દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.