• “જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં ૮૫ બોટલ રક્ત એકત્ર કરાયું.”

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી, ગોલ્ડી સોલાર ફાઉન્ડેશન, સંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર, સુરત રક્તદાન કેન્દ્ર અને સંશોધન કેન્દ્ર, અમરોલી મેડીકલ સર્કલ, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત, ધ વરાછા કોઓપરેટીવ બેંક લીમીટેડ, એક્ઝામશાળા, લાઈન્સ ક્લબ ઓફ સુરત, અમરોલી પોલીસ સ્ટેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કાયમી વિદ્યાર્થી મંડળ અમરોલી (BBA, BCA, B.COM), રાષ્ટ્રીય સેવા યોજના (NSS), રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૨૨-૦૭-૨૦૨૬નાં “મહારક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાન તરીકે ડૉ. સતીષ કત્રોરોડીયા (સંતોષ વુમન કેર હોસ્પિટલ), ડૉ. ભવ્યેશ સોલંકી, ડૉ. કેતન કોરડીયા, ડૉ. વિનય પંડ્યા, ડૉ. વિપુલ પ્રજાપતિ, ડૉ. રાજન પટેલ (અમરોલી મેડીકલ સર્કલ), શ્રી. સનત પટેલ (એડવાઈઝ ઇન્ટરનેશનલ), શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા (ગોલ્ડી સોલર ફાઉન્ડેશન-ગોલ્ડી સોલાર), શ્રી. હરેન્દ્રસિંહ તોમર (એક્ઝામ શાળા), શ્રી મુકેશભાઈ દેસાઈ (બીજેપી સુરત શહેર ઉપાધ્યક્ષ), શ્રી જગદીશભાઈ બોદરા (લાઈન્સ ક્લબ ઓફ સુરત) રક્તદાન શિબિરમાં વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ સભ્યો રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરના અંતે કુલ ૮૫ જેટલી બોટલનું રક્તદાન મળ્યું હતું. આચાર્યશ્રીએ તમામ રક્તદાતાનો આભાર માન્યો હતો. જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ અને સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલે તમામ રક્તદાતાને શુભેચ્છા પાઠવેલ છે. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી અને કો – ઓર્ડીનેટર તેમજ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા, પ્રા. જયોતિકાબેન ટેલર તથા એન.એન.એસ.ના સ્વયંસેવકો તથા તમામ સ્ટાફના સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.

  • અમરોલી સ્વનિર્ભર કોલેજનાં વિદ્યાર્થીઓ માટે વેબિનારનું આયોજન થયું હતું. “માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને આત્મહત્યા નિવારણ પર વેબિનાર”

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૨૭-૦૭-૨૦૨૬નાં રોજ “Webinar on Mental Health Awareness; Suicide Prevention” વિષય પર કોલેજનાં વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરેલ હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી. શિવાંગી ચૌહાણ (Rehabilitation Psychologist) ઉપસ્થિત રહી. તેમણે માનસિક સ્વાસ્થ્યનું મહત્વ, માનસિક સમસ્યાઓના પ્રારંભિક લક્ષણોની ઓળખ તેમજ આત્મહત્યા નિવારણ માટેના અસરકારક ઉપાયો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જરૂરિયાતના સમયે નિઃસંકોચ મદદ મેળવવા, એકબીજાને સહકાર આપવા અને સકારાત્મક તથા માનસિક રીતે સ્વસ્થ વાતાવરણનું નિર્માણ કરવા સૌને પ્રેરિત કર્યા હતા. વેબિનારના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો અને સમજણ/ માર્ગદર્શન આપવામાં આવ્યા હતા, આ કાર્યક્રમનો મુખ્ય સંદેશ "તમારું મન મહત્વનું છે; (Your Mind Matters) હતો, જેના દ્વારા સૌને પોતાના માનસિક આરોગ્યને પ્રાથમિકતા આપવા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને સહયોગ આપવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી વેબિનારમાં કુલ 4777 વિદ્યાર્થીઓએ લાભ લીધો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણી સાહેબના માર્ગદર્શન એન.ટી.એફની કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે આમંત્રીત મહેમાનોનો, તેમજ હાજર તમામ સ્ટાફ, તેમજ હાજર તમામ વિદ્યાર્થીઓનો આભારમાની વેબિનાર પૂર્ણ કરવામાં આવ્યો હતો.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં “ગુરુપૂર્ણિમા ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ(ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલીમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિના ભાગરૂપે તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ ગુરુપૂર્ણિમા “ગુરુપૂર્ણિમા ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર ગોયાણી દ્વારા વિદ્યાર્થીઓને ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. "જ્ઞાન, ધ્યાન, ચેતના, સંસ્કાર, વિચાર, દેશ, વિશ્વ, વાતાવરણ, પ્રકૃતિ, ભક્તિ, મુક્તિ - આ તમામ બાબતોનું જ્ઞાન સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે." એવા સુંદર વિચારોથી ગુરુ - શિષ્ય વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂજનો માટે ગુરુ મહિમાનું વક્તવ્ય, ભજન, અને વિવિધ રમતોનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ભાવવિભોર બન્યા હતા. જયારે બી.સી.એ વિભાગમાં, દરેક વિદ્યાર્થી ગુરુનું મહત્વ સમજી શકે તે માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી વર્ગવાર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા તમામ શિક્ષકોનું સ્મૃતિભેટ અને ગુલાબનાં ફૂલથી સન્માન કરવામાં આવ્યું હતું. “ગુરુપૂર્ણિમા ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સ્વનિર્ભર કોલેજનાં વિદ્યાર્થીઓની માટે સ્ટડી વિઝિટનું આયોજન

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ, દ્વારા તા. ૩૦-૦૭-૨૦૨૬ નાં રોજ વિદ્યાર્થીઓ માટે ASHINE ઇન્ક્યુબેશન સેન્ટર, SVNIT ખાતે સ્ટડી વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.બી.એ., બી.કોમ., બી.સી.એ., બી.એસસી.ડેટા સાઈન્સ, એમ.એસસી.આઈટી., એમ.કોમ.નાં કુલ ૧૦૫ વિદ્યાર્થીઓ મુલાકાત લીધી હતી. આ મુલાકતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સફળ ઉદ્યોગસાહસિકો (Entrepreneurs) સાથે સીધો સંવાદ કરવાનો, સ્ટાર્ટઅપ ક્ષેત્રના વ્યવહારુ અનુભવો સમજવાનો તેમજ નવીન વિચારોને બિઝનેસ મોડેલમાં કેવી રીતે રૂપાંતરિત કરવા તે અંગે માર્ગદર્શન મેળવવાનો તેમજ સફળ ઉદ્યોગસાહસિકો સાથે સીધો સંવાદ કરવાનો અને સ્ટાર્ટઅપ ક્ષેત્રના વ્યવહારુ અનુભવો સમજવાનો અવસર મળ્યો હતો. જેમાં ;Way we go; ના અનિલ આનંદ, ;Enviro wealth' ના ઓમ મિશ્રા અને ;Challenge rate; ના રાધિકા કીકાણી જેવા ઉભરતા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સે પોતાની સફળ અને SSIP (Student Start-up and Innovation Policy) ફંડિંગ મેળવવાનો અનુભવ શેર કર્યો હતો. તેમજ નિષ્ણાત મેન્ટર્સ ડૉ. રાજેશ ચૌધરી, ડૉ. હિમાંશુ પાંડે અને શ્રી મયુર કાલસરિયા દ્વારા વિદ્યાર્થીઓને SSIP ફંડ મેળવવાની સમગ્ર પ્રક્રિયા, ગ્રાન્ટ સહાય અને વ્યવસાયિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર મુલાકાતનું આયોજન સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ અને કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. સોયબ મેમણ અને પ્રા. ડૉ. વિશ્વનાથ બોરસે દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૪ આયોજન થયું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૪ આયોજન થયું. જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૩૦-૦૭-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૪ નું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) કુંજડિયા શુભમ - ;શિવ પુરાણ; (૨) દોમડીયા નેન્સી - "પ્રાકૃતિક સ્વાસ્થ્યની પગદંડી; (૩) ઝાડફિયા ઓમ - ;Rich Dad Poor Dad; (૪) ડાંગરિયા ઓમ - ;ક્યા cool હૈ હમ; (૫) કાલેર ઈર્શાદ - ;રાતવાસો તેમજ પ્રા. ડૉ. સુનીતા યાદવ - ;પથ અને પાથેય" અને પ્રા. ઈશા દેસાઈ ;૧૦૧ Essays that will Change the way You Think; વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ શ્રી ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. ડો. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • “જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં ૧૩૫ બોટલ રક્ત એકત્ર કરાયું.”

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

      જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી, ગોલ્ડી સોલાર ફાઉન્ડેશન, સંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર, સુરત રક્તદાન કેન્દ્ર અને સંશોધન કેન્દ્ર, અમરોલી મેડીકલ સર્કલ, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત, ધ વરાછા કોઓપરેટીવ બેંક લીમીટેડ, એક્ઝામશાળા, લાયન્સ ક્લબ ઓફ સુરત, અમરોલી પોલીસ સ્ટેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કાયમી વિદ્યાર્થી મંડળ અમરોલી (BBA, BCA, B.COM), રાષ્ટ્રીય સેવા યોજના (NSS), રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) ની સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૦૫-૦૮-૨૦૨૬નાં “મહારક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાન તરીકે ડૉ. પારુલબેન વડગામા, ડૉ. સતીષ કત્રોરોડીયા (સંતોષ વુમન કેર હોસ્પિટલ), શ્રી યશભાઈ (ગોલ્ડી સોલર), શ્રી જગદીશભાઈ બોદરા (લાયન્સ ક્લબ ઓફ સુરત), પ્રફુલ ચુડાસમા (યુ.પી.એલ.યુનીવર્સીટી), જીવન જ્યોત ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ જે.ઝેડ.શાહ આર્ટસ અને કોમર્સ કોલેજનાં ઈ.ચા.આચાર્યશ્રી ડૉ.દેસાઈ સેજલ હાજર રહી વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો. રક્તદાન શિબિરમાં આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ સભ્યો રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરના અંતે કુલ ૧૩૫ બોટલનું રક્તદાન મળ્યું હતું. આચાર્યશ્રી તેમજ જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ભરતભાઈ શાહ અને મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલે તમામ રક્તદાતાનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવેલ છે. રક્તદાન શિબિરનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી અને કો – ઓર્ડીનેટરશ્રીઓના માર્ગદર્શન મુજબ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તેમજ પ્રા.ડૉ.જયોતિકા ટેલર અને એન.એન.એસ.ના સ્વયંસેવકો તથા તમામ સ્ટાફના સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.

  • પુસ્તક પરિચય શ્રેણી – 5

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૫ આયોજન થયું. જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૦૬-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૫ નું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) વસુ સાંગાણી - "મેનેજમેન્ટ એક નિકટ પરિચય" (૨) તૃષા ગોયાણી Don't believe everything you think; (૩) ખુશ જગણીયા - "સંપૂર્ણ ચાણક્ય નીતિ ચાણક્ય" (૪) મયુર જાની - ;Art of spending money; તેમજ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલા - ;ગરુડ પુરાણ; અને પ્રા. નેહા શુક્લા - ;Breath, Eyes, Memory ; વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. ડૉ. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • અંતાક્ષરી કોમ્પિટિશન 07-08-2026

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    “જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર અમરોલી કોલેજમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશન યોજયેલ હતી” જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશનનું ભવ્ય અને સુરમય પ્રોગ્રામનું આયોજન તા. ૦૭-૦૮-૨૦૨૬ નાં રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય અને હેતુ વિદ્યાર્થીઓને તેમની ગાયકી કળાને વિકસાવવા અને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો તેમજ વિદ્યાર્થીઓની કળા, ટીમવર્ક અને કૌશલ્યને વિકસાવવાનો હતો. આ દિવ્ય સંગમમાં દર્શકોને ભક્તિ, લોક ગીત, બોલીવુડ સોંગનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. દરેક રજૂઆત એક અલગ જ કલાત્મક અનુભવ કરાવનાર હતી. કુલ ૩૦ ટીમના ૯૦ વિધાર્થીઓએ પોતાની કલા, સુર અને તાલ સાથે સ્પર્ધામાં ભાગ લઈને મંચ ધ્રુજાવ્યું હતું. સ્પર્ધાના અંતે પ્રથમ ક્રમાંક વાજા જયમાલ દેવાયતભાઈ, દોમડીયા તીર્થ અનિલભાઈ અને અલગીયા યશ કિરણભાઈ તેમજ દ્વિતીય ક્રમાંક ભાલું શ્રદ્ધા નીલેશભાઈ, ભાલોડીયા હસતી આયુષભાઈ અને વિરાણી આસ્વી અલ્પેશકુમાર વિજેતા જાહેર થયા હતા તેમજ વિજેતાને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના સભ્યો દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

  • આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો વિષય પર ઓરીએન્ટેશન યોજાયો ૦૮-૦૮-૨૦૨૬

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો? વિષય પર ઓરીએન્ટેશન યોજાયો. જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૦૮-૦૮-૨૦૨૬ નાં રોજ એન.સી.સી.ની તેમજ કોલેજનાં વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો તે માટેનો ઓરીએન્ટેશન – ૨૦૨૬ સેમીનારનું આયોજન કરેલ હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી આત્મતત્વ દાસજી હાજર રહ્યા હતા. તેમણે અમને આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો તે અંગે માર્ગદર્શન આપ્યું અને મનની શાંતિ માટે 'મંત્ર ધ્યાન' કરવાનું પણ સૂચન કર્યું, જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં આત્મવિશ્વાસનું મહત્વ સમજવા અને આત્મ-શંકા અને ભયને દૂર કરવા માટેની તકનીકો શીખવી. આ કાર્યક્રમમાં કુલ એન.સી.સી.ની ૪૦ કેડેટ્સ તેમજ બી.કોમ. અને બી.સી.એના ૬૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડૉ.મુકેશ આર. ગોયાણી માર્ગદર્શન હેઠળ એન.સી.સી.ઓફિસર ડૉ.અનિલા પિલ્લાઈ, એન.એસ.એસ ઓફિસર પ્રા. જ્યોતિકા ટેલર, પ્રા. વિશાખા બારોટ અને પ્રા.ડૉ.સુનિતા યાદવ મેડમ તથા જેયુઓ ખુશી ડાભી, સીપીએલ ખુશી ટીંબડિયા અને કેડેટ ભૂમિ શુક્લાના દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

  • Box Cricket 09-08-2026

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    “પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ કોલેજમાં Box Cricket VBPLનું આયોજન કર્યું હતું.” જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં, B.B.A. ઇન્ટર ક્લાસ બોક્સ કિક્રેટ VBPL લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. Box Cricket (VBPL) અંતર્ગત (૧) The Game Changer-2 (૨) J.D. XI (૩) The Spartan (૪) The Legacy (૫) The Elite XI (૬) T.D. XI (૭) The Shamsher (૮) Mahadev XI (૯) Knight Warriors (૧૦) Believe Sports જેવી નામની ૧૦ ટીમ બનાવવામાં આવી હતી. જે પૈકી ૧૨૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ The Shamsher અને Believe Sports વચ્ચે થયો હતો. જેમાં The Shamesher વિજેતા રહી હતી. બોક્સ ક્રિકેટ લીગમાં બેસ્ટ બેસ્ટમેન્ટ તરીકે હેનિલકુમાર પિયુષભાઈ મોદી અને બેસ્ટ બોલર તરીકે જૈવલ રાજેશભાઈ વેકરીયા જાહેર થયા હતા. ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ ગ્રંથ કિશોરભાઇ ચોથાણી લીગનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર થયા હતા. બોક્સ લીગનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ તેમજ બી.બી.એ કો- ઓર્ડીનેતર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ. નિલેશભાઈ પટેલ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

  • “હર ઘર તિરંગા – નિબંધ” લેખનનું આયોજન થયું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    “હર ઘર તિરંગા – નિબંધ” લેખનનું આયોજન થયું. જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ ખાતે તા.૧૦-૦૮-૨૦૨૬ નાં રોજ ૬ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સીના સૂચનાઓ હેઠળ “હર ઘર તિરંગા” વિષયક નિબંધ લેખનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય એનસીસી કેડેટ્સમાં દેશભક્તિ, રાષ્ટ્રીય ગૌરવ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરને પ્રોત્સાહન આપવાનો તેમજ લેખન અને સર્જનાત્મક અભિવ્યક્તિને વધારવાની તક પૂરી પાડવાનો હતો. આ સ્પર્ધામાં ૪૫ કેડેટ્સે સક્રિયપણે ભાગ લીધો હતો. જેમાં દરેક એન.સી.સી. કેડેટ્સે "હર ઘર તિરંગા" ઈવેન્ટમાં સ્વતંત્રતામાં મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિકા અને સ્વતંત્રતાના ગુમનામ નાયકો પર નિબંધો લખ્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એન.સી.સી ઓફિસર ડૉ. અનિલા પિલ્લાઈ અને જે.યુ.ઓ ખુશી ડાભી, સી.પી.એલ ખુશી ટીંબડિયા અને કેડેટ નેન્સી જેઠવાના સહયોગથી કાર્યક્રમનું આયોજન થયું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સ્વનિર્ભર કોલેજની “હર ઘર તિરંગા યાત્રા” યોજાઈ

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ દ્વારા તા. ૧૩-૦૮-૨૦૨૬ નાં રોજ ૬ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી.ના સહયોગથી “હર ઘર તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. "હર ઘર તિરંગા યાત્રા - ૨૦૨૬"નું આયોજન ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત સાથે કરવામાં આવ્યું હતું. યાત્રામાં જીવન જ્યોત ટ્રસ્ટનાં માનદમંત્રી શ્રી અશ્વિન પટેલ તેમજ સ્ટાફ સભ્યો, ૨૧૭ વિદ્યાર્થીઓ તથા ૪૫ એન.સી.સી કેડેટ્સ, એન.એસ.એસ સ્વયંસેવકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ રેલી છાપરાભાઠ્ઠા કેમ્પસથી બે કિલોમીટરનાં વિસ્તારમાં વેપાર ક્ષેત્ર અને માર્કેટ વિસ્તારમાં લોકોમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરનો સંદેશ ફેલાવતા સફળતાપૂર્વક પૂર્ણ થઈ જેમાં અમરોલી પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરીને રેલીને ટેકો આપ્યો હતો. તેઓએ “तिरंगा हमारी शान है — भारत हमारी जान है”, “भारत माता की जय”, “वंदे मातरम्”, “આજે એક વૃક્ષ વાવો, આવતીકાલ બચાવો!”, “હરિયાળું ભારત, સ્વચ્છ ભારત!”, “ટીબી મુક્ત ભારત, સ્વસ્થ ભારત!” જેવા નારા લગાવ્યા હતા. રેલી યાત્રાનું આયોજન આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં મર્ગદર્શન હેઠળ એન.સી.સી ઓફિસર પ્રા. ડૉ. અનિલા પિલ્લાઈ, એન.એસ.એસ ઓફિસર પ્રા.ડૉ. પ્રદીપ લેન્કા અને પ્રા. જ્યોતિકા ટેલર સાથે પ્રા. ડૉ. રાગિની પ્રસાદ, પ્રા. શ્રી રાકેશ જસાણી અને પ્રા.કોમલ સોલંકી દ્વારા સફળતાથી પૂર્ણ કરવામાં આવ્યું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૬ આયોજન થયું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૩-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૬ નું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) પ્રીતિસ્મિતા નાયક - "દારૂ દેવતા (ઉડિયા ભાષા)" (૨) કૃણાલ લકકડ - ;પ્રમુખ પરિમલ" (૩) સોજીત્રા દક્ષ - ;The Art of Seduction" (૪) નાકરાણી ભવ્યા - ;Five Point Someone" (૫) રુદ્ર કાચરિયા - "Rich Dad Poor Dad" તેમજ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલા - "ગરુડ પુરાણ", પ્રા. કૃપાલી પટેલ - ;રાજા યોગા; અને પ્રા. ડૉ.પ્રદીપ લેંકા(સ્પોર્ટ ટીચર) - ;ભગવાન શ્રી જગન્નાથ; વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. ડૉ. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • કોલેજનું ગૌરવ

    SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE Near Jivan Jyot Hospital, Amroli, Surat, Gujarat 394107, SURAT, Gujarat, India

    “કોલેજનું ગૌરવ” જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એસ.વાય.બી.સી.એની વિદ્યાર્થીની ભગત રિદ્ધિ કુલેનભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તર: ​એરોબિક જીમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશિપમાં 6ઠ્ઠું સ્થાન તેમજ ​રાષ્ટ્રીય સ્તર સિલ્વર મેડલ અને બ્રોન્ડ મેડલ મેળવેલ હતો તથા ​નેશનલ ગેમ્સ (ઉત્તરાખંડ), આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક સ્કૂલ ગેમ્સ અને યુનિવર્સિટી નેશનલ ચેમ્પિયનશિપમાં રાજ્ય/સંસ્થાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જયારે રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ ​એરોબિક જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપની, આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવેલ છે અને ખેલ મહાકુંભમાં ફ્લોર ​બેલેન્સિંગ બીમ સિલ્વરમેડલ, ફ્લોર એક્સરસાઇઝ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. ​જીમ્નાસ્ટિક્સમાં અસાધારણ યોગદાન બદલ ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા "મહારાજા શ્રી જયદીપ સિંહજી જુનિયર એવોર્ડ" થી શ્રી ભગત રિદ્ધિ ફૂલેનભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્ટિસ્ટિક અને એરોબિક જીમ્નાસ્ટિક્સમાં પોતાના અસાધારણ પ્રદર્શન દ્વારા સંસ્થાને અપાર ગૌરવ અને સન્માન અપાવ્યું તે બદલ કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી, સ્પોર્ટ ટીચર/ કોચ ડૉ. પ્રદીપકુમાર લેન્કા તેમજ શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટના પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.

  • Singing Competition 14-08-2026

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    “આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ અમરોલી સ્વનિર્ભરમાં કોલેજમાં “દેશ ભકિત ગીત” સ્પર્ધા યોજયેલ હતી” જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ. શાહ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં બી.કોમ.નાં વિદ્યાર્થીઓ માટે તા. ૧૪- ૦૮-૨૦૨૬ ના રોજ દેશ ભકિત ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની ગાયકી કળાને વિકસાવવા અને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો હતો. આ દિવ્ય સંગમમાં દર્શકોને ભક્તિ, સુફિઝમ, ગઝલ, લોકગીત, ઇંગ્લિશ સોંગ, બોલીવુડ સોંગનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. આ સ્પર્ધાનાં જજ તરીકે ફોરમ રાખોલિયા (પ્રોફેનલ સિંગર) હાજર રહીયા હતા. દેશ ભક્તિ ગીત સ્પર્ધામાં કુલ ૧૭ વિધાર્થીઓએ પોતાની કલા, સુર અને તાલ સાથે સ્પર્ધામાં ભાગ લઈને મંચ ધ્રુજાવ્યું હતું. સ્પર્ધાના અંતે પ્રથમ ક્રમાંક ટિમ્બડિયા ખુશી અરવિંદભાઈ, દ્વિતીય ક્રમાંક સોદ્વાડીયા એકતા પ્રફુલભાઈ, તૃતીય ક્રમાંક બોદુલ રાજ અંબાદાસ વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્યંત સુરમય સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી માર્ગદર્શન દ્વારા સાંસ્કૃતિક કમિટી દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.

  • Seminar on The Role and Responsibilities of Modern Advertising Advertising Agency 14-08-2026

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    બી.બી.એ. (માર્કેટિંગ) વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન થયું જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૪-૦૮-૨૦૨૬ ને શુક્રવારે Behind the Campaign : The Role and Responsibilities of a Modern Advertising Agency વિષય પર બી.બી.એ. (માર્કેટિંગ) વિદ્યાર્થી માટે સેમિનારનું આયોજન કરેલ હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી પાર્થ સવાણી (Founder & CEO, Make me Brand) ઉપસ્થિત રહ્યા હતા. બી.બી.એ. (માર્કેટિંગ) નાં કુલ ૧૪૬ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક લાભ લીધો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ બી.બી.એ. કો-ઓર્ડીનેટર પ્રા. ડૉ. સ્વાતી મહેતા,પ્રા.ડૉ. નિલેશ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અંતે પ્રા. રાકેશ પટેલે આમંત્રીત મહેમાનોનો તેમજ હાજર તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓનો આભારમાની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં ૮૦ સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જીયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે તા.૧૫-૦૮-૨૦૨૬ નાં રોજ ૮૦ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી યશભાઈ ગોપલાણી (મેમ્બેર, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ (મેમ્બેર,ઈ.સી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), ૬ ગુજરાત ગલ્સ બટાલિયનનાં હવાલદાર કુલવિન્ડર સિંહ તેમજ જીવન જ્યોત ટ્રસ્ટ માનદમંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી અનુજભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી ક્રાંતિભાઈ શાહ, કમિટી મેમ્બર સંપદ શાહ હાજર રહ્યા હતા. કોલેજની એન.સી.સી.ની વિદ્યાર્થીનીઓએ પરેડ કરી મહેમાનશ્રીને ધ્વજ વંદન માટે આમંત્રીત કર્યા હતા. શ્રી યશભાઈ ગોપલાણી અને શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ દ્વારા ધ્વજરોહાણ કર્યું હતું. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોશ્રીઓ અને અશ્વિનભાઈ પટેલે પ્રસંગોચીત ઉદબોધન આપ્યું હતું. સ્વતંત્રતાપર્વમાં કોલેજના કો-ઓર્ડીનેટર, શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ ટીચર ડૉ.પ્રદીપકુમાર લેન્કા અને એન.સી.સી. સીટીઓ અનિલા પિલ્લાઈ તેમજ સમગ્ર સ્ટાફગણના સહકારથી સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી.

  • ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૫-૦૮-૨૦૨૬નાં રોજ ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી યશભાઈ ગોપલાણી (મેમ્બેર, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ (મેમ્બેર,ઈ.સી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી વિનોદભાઈ ગજેરા (માજી સિન્ડીકેટ મેમ્બર) તેમજ જીવન જ્યોત ટ્રસ્ટનાં ટ્રસ્ટી શ્રી ભરત શાહ, માનદ્ મંત્રીશ્રી અશ્વિન પટેલ અને શ્રી અનુજ્ભાઈ શાહ ટ્રસ્ટી શ્રી ક્રાંતિભાઈ શાહ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઈનામ વિતરણ બી.બી.એ.,બી.કોમ.,બી.સી.એ.,બી.એસ.સી.(ડેટા સાઈન્સ), એમએસ.સી.આઈ.ટી.,બી.સી.એ.(એઆઈ) માં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર ૩૬૮ વિદ્યાર્થીઓ તેમજ વિવિધ આંતર કોલેજ સ્પર્ધામાં વિજેતાઓને ટ્રોફી/પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજનાં તમામ કૉ-ઓર્ડીનેટરશ્રીઓ તથા કોલેજના અધ્યાપકો અને વહીવટી સ્ટાફ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ ઇનામ વિતરણ કમિટી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૭ આયોજન થયું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૯-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૭ નું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) સંતોષી ડાકુઆ - “The Courage to be Disliked” (૨) યશ સોજિત્રા - "શ્રીમદ ભગવદ્ ગીતા" તેમજ અધ્યાપક “Ikigai” – પ્રા. રાહુલ પાટીલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. ડૉ. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં “હીરાબાનો ખમ્મકાર” ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૯-૦૮-૨૦૨૬ નાં રોજ હીરાબાનો ખમ્મકાર અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હીરાબા ખમ્મકારનાં ફાઉન્ડેશનનાં ફાઉન્ડર શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રીમતી જયોતિકાબેન ગુપ્તા તેમજ પૂર્વ નગરસેવક શ્રીમતી સોનલબેન દેસાઈ, શ્રીમતી નિરાલીબેન પટેલ અને જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ભરતભાઈ શાહ, માનદ મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહીયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શ્રી પિયુષભાઈ દેસાઈએ પોતાના વિચારો રજુ કરી જણાવ્યું હતું કે માતા-પિતા વિહોણા બાળકો શિક્ષણ વંચિત ન રહે તે હેતુથી હીરાબા ખમ્મકાર ફાઉન્ડરને આ કાર્ય હાથ ધર્યું હતું. માતા-પિતા વિહોણા કોલેજના કુલ ૫૧ વિદ્યાર્થી બહેનો અને ભાઈઓને “હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન તરફથી સ્કોલરશીપનાં ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.